ભારતીય રેલ્વેએ તમામ નિયમિત પેસેન્જર, મેલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો ઉપરાંત તમામ મેટ્રો ટ્રેનોનું સંચાલન આગામી સુચના ન મળે ત્યાં સુધી રદ કર્યુ. હાલમાં દોડાવવામાં આવતી 230 વિશેષ ટ્રેનોનું સંચાલન ચાલુ રહેશે.
રેલવેએ નિવેદનમાં સ્પષ્ટતા કરતા કહ્યું છે કે વર્તમાન સમયમાં દોડાવવામાં આવી રહેલી 230 વિશેષ ટ્રેનો ચાલુ રખાશે. આ ઉપરાંત મુંબઈ લોકલ ટ્રેનોનું મર્યાદિત સંચાલન ચાલુ રખાશે. મુંબઈ લોકલને રાજ્ય સરકારની માંગને પગલે મર્યાદીત લોકો માટે ચાલુ રાખવામાં આવી છે. રેલવેના મતે સ્પેશ્યલ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા પર સતત નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોમાં વધારો થવાથી વધુ વિશેષ ટ્રેનો દોડાવવા વિચારણા કરાશે. નિયમિત પ્રવાસી ટ્રેનોની જેમ મેટ્રો ટ્રેનોની સેવા પણ બંધ રાખવામાં આવશે તેમ રેલવે જણાવ્યું હતું.