સંજય દત્ત-આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું 12 ઓગસ્ટના રોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આદિત્ય રોય કપૂર તથા પૂજા ભટ્ટ પણ છે.
ફિલ્મમાં પૂજા ભટ્ટના અવસાન બાદ સંજય દત્ત જીવવાનો ઉત્સાહ ગુમાવી ચૂક્યો હોય છે. ત્યારબાદ આલિયા ભટ્ટની એન્ટ્રી થાય છે. આલિયા ભટ્ટે ફૅક ગુરુઓને કારણે પોતાની વ્યક્તિને ગુમાવી છે. આલિયા હવે બદલો લેવા માગે છે. આદિત્ય રોય સાથે આલિયા, સંજય દત્તની ગાડીમાં કૈલાસ પર્વત જવા રવાના થાય છે. અહીંયા મકરંદ દેશપાંડેની એન્ટ્રી થાય છે. મકરંદ દેશપાંડે ગુરુના રોલમાં છે અને તે આલિયાને મારવા માગે છે.