નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરબાના આયોજનના સંદર્ભમાં સરકાર વિચારણા કરી શકે છે. નિયમોને આધીન સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે.
ગુજરાતમાં અનલોક -4 બાદ કેટલીક છૂટછાટો મળી રહી છે ત્યારે હવે નવરાત્રિના આયોજકો સામાજિક અંતર સાથે ગરબાનું આયોજન કરી શકે તે માટે અગાઉ અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. તેવા સમયે રાજ્ય સરકારે આજે હકારાત્મક સંકેત આપ્યા છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરબાના આયોજનના સંદર્ભમાં સરકાર વિચારણા કરી શકે છે. આ માટે હાલ ચર્ચા ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, આયોજકોએ સામાજિક અંતર ઉપરાંત વિવિધ નિયમો લાગુ પાડવાની ખાતરી આપવાની સાથે ગરબા આયોજન કરવાની મંજુરી માંગી હતી. ત્યારે ખૈલાયોઓમાં એક આશા બંધાઈ છે.