ગુજરાતમાં 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે.સાથે ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડે મહત્વની માહિતી શેર કરી હતી.
૨૪ ઓગષ્ટના રોજ આયોજીત ગુજકેટ પરીક્ષાની તૈયારી બોર્ડ વડે કરવામાં આવી છે. સાથે જ આ વખતે ૨૫ થી ૨૮ ઓગષ્ટ દરમ્યાન આયોજીત પૂરક પરીક્ષા દરમ્યાન વિધાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને બોર્ડે કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે એક નિરીક્ષકની પણ નિયુક્તિ કરવામાં આવશે.
પરીક્ષા દરમ્યાન વિધાર્થીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટનસ, સેનીટાઈઝેશનની વ્યવસ્થા સાથે થર્મલગનથી ટૅંપ્રેચરની ચકસણી, ફરજીયાત માસ્ક, પરીક્ષાખંડના બારી-બારણાં ખુલ્લાં રાખવાના રહેશે તો વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા Zigzag પ્ર્માણે રાખવાની રહેશે.