ભારતમાં કોરોનાના કેસોનો આંક્ડો 20 લાખને પાર. એક જ દિવસમાં 62,538 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવ કેસોનો આંક્ડો 20,27,074 થયો. ભારતમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થવાની સાથે સાથે ડિસ્ચાર્જનો આંકડો પણ વધી રહ્યો છે.
ભારત સરકારે રજૂ કરેલા ડેટા પ્રમાણે દેશમાં હાલમાં 6,07,384 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 13,78,105 દર્દીઓ આજ દિન સુધીમાં ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે. તો 41,585 દર્દીઓ મરણ પામ્યા છે.