સુરત મહાનગરપાલિકાએ કઈ લોચાની દુકાનને સીલ મારી ? જેના 6 કારીગરો પોઝિટીવ નિદાન થયા.

સુરત મહાનગરપાલિકાએ આજે અઠવા ઝોન વિસ્તારમાં કાર્યવાહી કરતાં અઠ્વા ઝોનમાં વધુ કેસો નોંધાતા આજે મોટા પાયે ઝુંબેશ શરુ કરી હતી. જેમાં સુપર સ્પ્રેડર તરીકેની ભૂમિકા ભજવતાં લોકો સહિત 108 જણાના રેપીડ એંટીજન ટૅસ્ટ કરવામાં આવ્યા હતાં.

પારલે પોઈંટ ખાતે લોચાનું વેચાણ કરતી શ્રીજી લોચો હાઉસમાં પણ રેપીડ એંટીજન ટૅસ્ટ કરાતાં એના 6 કારીગરો પોઝિટીવ નિદાન થતાં શ્રીજી લોચોને તાત્કાલિક અસરથી સીલ મારીને મનપાએ 14 દિવસ માટૅ સીલ કર્યું હતું. મનપાએ વિગતવાર પ્રેસનોટ આપી આ વિશે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *