ભારતના કયા પ્રખ્યાત શાયર રાહત ઈંદોરી થયા કોરોના સંક્રમિત. ટ્વીટ કરીને માહિતી આપી હતી. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણે આખા દેશમાં જાણે અજગર ભરડો લીધો છે. છેલ્લા 24 ક્લાકમાં ભારતમાં 53,061 નવા કેસો નોંધાયા જે સાથે કુલ કેસોનો આંકડો 22,68,675 થઈ જવા પામ્યો છે. જેમાંથી આજની તારીખે 6,39,929 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભારત સરકારે રજૂ કરેલા આજના ડેટા પ્રમાણે ભારતમાં આજ દિન સુધીમાં 15,83,489 દર્દીઓ સારવાર મેળવીને ઘરે ગયા તો 45,257 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.