મધ્યપ્રદેશ સરકાર એ બાળકો અને પરિવારોને 5000 રુપિયાનું દર મહિને પેંશન આપશે જેમના ઘરમાં કોરોનાને કારણે ક્માનાર કોઈ વ્યક્તિ બચ્યું નથી. બાળકોને મફત શિક્ષણ અને કામ ધંધા માટે વગર વ્યાજની લોન પણ અપવાશે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ સંદર્ભે માહિતી આપી હતી. મુખ્યપ્રધાનના ઓફિશિયલ હેંડલ પરથી ટવીટ કરી તેમણે લખ્યું હતું કે ,
“कोरोना महामारी ने कई परिवारों को तोड़ कर रख दिया है, कुछ ने अपने बुढ़ापे की सहारे की लाठी खोई है, कुछ ने पालकों की छाया खोई है। इसलिए, हमने तय किया है कि ऐसे परिवारों को जिनके घर में आजीविकोपार्जन करने वाला कोई नहीं बचा उन्हे 5,000 रुपये प्रति माह पेंशन शासन द्वारा दी जाएगी: CM”
કોરોના મહામારીને કારણે ઘણા પરિવારોને તોડી નાંખ્યા છે. કેટલાકે પોતાના ઘડપણનો સહારો ગુમાવ્યો છે તો ઘણાએ પોતાના પાલકોની છત્રછાયા ગુમાવી છે. આથી અમે નક્કી કર્યુ છે કે આવા પરિવારોને જેમના ઘરમાં અર્થોપાર્જન કરનાર કોઈ બચ્યું નથી તેમને 5000 રુપિયા પ્રતિમાસ પેંશન સરકાર આપશે. – મુખ્યમંત્રી.
ऐसे बच्चों की शिक्षा का निशुल्क प्रबंध किया जाएगा। इन परिवारों को पात्रता न होने पर भी राशन उपलब्ध करवाया जाएगा। ऐसे परिवारों के सदस्यों को सरकार की गारंटी पर बिना ब्याज के काम-धंधे के लिए ऋण उपलब्ध करवाया जाएगा। ऐसे बच्चों और परिवारों का सहारा हम हैं, हमारी सरकार है: CM
આવા બાળકોના મફત શિક્ષણની પણ વ્યવસ્થા કરાશે. આ પરિવારોની પાત્રતા ન હોય તો પણ તેમને રાશન પૂરું પડાશે. આવા પરિવારના સભ્યોને સરકારની ગેરંટી પર વગર વ્યાજની લોન કામ ધંધા માટે ઉપલબ્ધ કરાવાશે. અવા બાળકો અને પરિવારોનો સધિયારો અમે છીએ. અમારી સરકાર છે.- મુખ્યમંત્રી.