પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, “મા શાર્દીયા કવાર નવરાત્રી મેળો” દરમિયાન અમદાવાદથી ચાલતી પશ્ચિમ મધ્ય રેલવેના મૈહર સ્ટેશન પર ટ્રેન નંબર 09083/09084, અમદાવાદ- મુઝફ્ફરપુર- અમદાવાદ અને ટ્રેન નંબર 09089/09090 અમદાવાદ- ગોરખપુર-અમદાવાદ વિશેષ બંને દિશાઓમાં 2-મિનિટનું સ્ટોપેજ 31 ઓક્ટોબર સુધી આપવામાં આવે છે.
મુસાફરોને હાલના કોરોના વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવા વિનંતી છે.મોબાઇલ પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને 01.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચો.