કોરોના મુક્ત રાજકોટ બનાવવા મહાનગરપાલિકાની દૈનિક કામગીરી

કોરોના વાઇરસ સામે કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેણીબધ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંકરણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘર આંગણે સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. ૧૫-૧૦-૨૦૨૦ ના દિવસે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૩૯૬૮૭ ઘર – કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૦૮ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી.

        મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં તા. ૧૫-૧૦-૨૦૨૦ ના રોજ સરેરાશ ૨૩૦ ની ઓ.પી.ડી. સહીત ૧૧૪૮૧ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૨૧૧૨ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.

        શહેરીજનો માટે શરૂ કરેલ ‘૧૦૪ સેવા’ અંતર્ગત તા. ૧૫ મી ના રોજ ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ ૫૭ ફોન આવેલ હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૪૩ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ‘૧૦૮ સેવા’ માં ૪૮ ફોન આવેલ હતા અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૫.૫૫ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.

        હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે મનપા દ્વારા કાર્યરત ૩૦ સંજીવની રથ દ્વારા તા. ૧૫ ના રોજ ૯૪૧ ઘર – કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી. 

        તા. ૧૫ ના રોજ શહેરના શુભ ટાવર – યુનિ. રોડ, રાજનગર – નાનામવા રોડ, આશાપુરા – ભક્તિનગર, રેફ્યુજી કોલોની, ગોકુલનગર – સંત કબીર રોડ, જસાણી પાર્ક – એરપોર્ટ રોડ, ગુરુદેવ પાર્ક ૧ – કુવાડવા રોડ અને તક્ષશિલા સોસાયટી – ફૂલછાબ ચોકના વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *