આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1278 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 1266 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 86.46 ટકા થયો છે.રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,487 છે, જેમાંથી 16406 સ્ટેબલ છે અને 81 વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં 10 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3541 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,47,951 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,27,923 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં કુલ 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા છે.