કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન, પુત્ર ચિરાગે ટ્વિટ કરી આપી માહિતી

કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન થયું છે. તેમના પુત્ર ચિરાગ પાસવાને આ અંગે માહિતી આપતા ટ્વિટ કર્યું છે.

ચિરાગ પાસવાને ટ્વિટ કરી માહિતી આપતા કહ્યું કે, ‘પાપા, હવે તમે આ દુનિયામાં નથી, પરંતુ મને ખબર છે આપ જ્યાં પણ છો મારી સાથે છો.’ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું છે. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.રામવિલાસ પાસવાન છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. એઈમ્સમાં 2 ઓક્ટોબરની રાતે તેમની હાર્ટ સર્જરી કરાઈ હતી. આ પાસવાનની બીજી હાર્ટ સર્જરી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *