કોરોના સામેની લડાઇ વચ્ચે સરકાર વિધાનસભા સત્રનો પ્રાંરભ કરશે. જોકે કોરોનાને કારણે આ સત્રમાં પશ્નોતરીને ટુંકાવી દેવામાં આવી છે.
કોરોના સામેની લડાઇ વચ્ચે સરકાર વિધાનસભા સત્રનો પ્રાંરભ કરશે. જોકે કોરોનાને કારણે આ સત્રમાં પશ્નોતરીને ટુંકાવી દેવામાં આવી છે. અને મહત્વના વિધેયક અને વાર્ષિક અહેવાલ પર સમીક્ષા કરવામાં આવશે. આજે બપોરે 12 વાગે શરુ થનારા સત્રમાં ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓના પગાર ભથ્થાને લગતા કાયદા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, સત્રના પ્રથમ દિવસે રજુ કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્નોતરી પર જવાબ આપવામાં આવશે.