સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કતારગામ વિસ્તારને સીટી સર્વેમાં દાખલ કરવા માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ટ નં.૧ સુરતની માપણી શીટ નં.૧/અ, ૧/બ, ૨, ૩, ૪, ૬, ૧૧, ૨૦, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૪, ૩૫, ૩૯, ૪૧, ૪૩, ૪૪,૬૧, ૬૫, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૩, ૭૫, ૭૭, ૮૧,૮૨, ૮૩, ૮૮, ૯૩ થી ૧૦૦નુ રેકર્ડ તથા સુપ્રિન્ટેન્ડન્ટ નં.૩ દ્વારા સીગણપોરનું સર્વે તૈયાર કરવામાં આવ્યું છે. જે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.-૧, સુરતની કચેરી, એ-બ્લોક, સાતમો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પ્રમોલગેશનને તા.૧૫/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૦૦થી સાંજના ૪.૦૦ વાગે કચેરી ખાતે પ્રમાણિત કરવામાં આવશે. આ નવીન તૈયાર રેકર્ડ, પ્રોપર્ટી કાર્ડ, નકશા અને અન્ય રેકર્ડ સામે કોઈ જમીન ધારકોને વાંધો/હરકત હોય તેઓ જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ટન્ટ નં.૧ સુરતની કચેરી વાંધો રજુ કરી શકશે. તેમ જમીન દફતર કચેરીના નાયબ નિયામક શ્રી કે.પી.ગામીત દ્વારા જણાવાયું છે.