ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય.
લોકોની ખોટા નામે જમીન પચાવી પાડીને બીજાને વેચાણ કરનાર ભૂમાફિયા તત્વો સામે વિધાનસભામાં સુધારા વિધેયક મુકાશે. તેના અંતર્ગત 7 વર્ષની કેદ અને મિલકતની બજાર કિંમત જેટલા દંડનું કડક સજાની જોગવાઈ કરાઈ છે. . જેને પગલે મિલકત ધારકો, સામાન્ય લોકો અને ખેડૂતના હકનું રક્ષણ થશે.ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટ ૧૯૦૮ની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-ર૦ર૦ વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનશે.
- દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી-સરળ-ચોકસાઇપૂર્ણ બનાવાશે
- ભૂમાફિયાઓ મિલકત ધારકોની મિલકત હવે છેતરપિંડીથી હડપ નહીં કરી શકે
- મિલકત ધારકોના-સામાન્ય માનવીના-ખેડૂતના હકોના રક્ષણ માટે મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા
- સામાન્ય નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે
- ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહીં કરાવી શકેઞ
- ઇલેક્ટ્રોનિક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપિંડીથી દસ્તાવેજ પર રોક લાગશે
- દસ્તાવેજ બનાવવાના ખર્ચ-સમયની બચત થશે
- દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરતી વખતે પોતે મિલકત માલિક હોવાના આધાર-પુરાવા રજૂ કરવા પડશે
- ખોટી વિગતો આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપિંડીથી દસ્તાવેજ કરનારને 7 વર્ષની કેદ-મિલકતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે
- સાચા મિલકત માલિકની ઓળખ સરળ બનશે
- સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલકત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક.