ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા ભૂમાફિયાઓ સામે રાજય સરકારની લાલ આંખ.

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. 

લોકોની ખોટા નામે જમીન પચાવી પાડીને બીજાને વેચાણ કરનાર ભૂમાફિયા તત્વો સામે વિધાનસભામાં સુધારા વિધેયક મુકાશે. તેના અંતર્ગત 7 વર્ષની કેદ અને મિલકતની બજાર કિંમત જેટલા દંડનું કડક સજાની જોગવાઈ કરાઈ છે. . જેને પગલે મિલકત ધારકો, સામાન્ય લોકો અને ખેડૂતના હકનું રક્ષણ થશે.ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ રજિસ્ટ્રેશન એકટ ૧૯૦૮ની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-ર૦ર૦ વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનશે.

  • દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી-સરળ-ચોકસાઇપૂર્ણ બનાવાશે
  • ભૂમાફિયાઓ મિલકત ધારકોની મિલકત હવે છેતરપિંડીથી હડપ નહીં કરી શકે
  • મિલકત ધારકોના-સામાન્ય માનવીના-ખેડૂતના હકોના રક્ષણ માટે મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા
  • સામાન્ય નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે
  • ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહીં કરાવી શકેઞ
  • ઇલેક્ટ્રોનિક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપિંડીથી દસ્તાવેજ પર રોક લાગશે
  • દસ્તાવેજ બનાવવાના ખર્ચ-સમયની બચત થશે
  • દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરતી વખતે પોતે મિલકત માલિક હોવાના આધાર-પુરાવા રજૂ કરવા પડશે
  • ખોટી વિગતો આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપિંડીથી દસ્તાવેજ કરનારને 7 વર્ષની કેદ-મિલકતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે
  • સાચા મિલકત માલિકની ઓળખ સરળ બનશે
  • સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલકત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *