સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ ખૂબ એક્ટિવ અને બોલકી રહેલી કંગના રનૌટૅ સતત પોતાના નિવેદનો સહુને ચોંકાવ્યા છે. સુશાંતના કેસમાં ડ્રગ્સનો એંગલ એડ થતાં હવે કંગનાએ નામ લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને ડ્રગ ટેસ્ટ કરાવવા માટે વિનંતી કરી છે.કંગનાએ પોતાની ટ્વીટમાં વડાપ્રધાન કાર્યાલયના હેંડલને પણ ટેગ કર્યુ હતું. થોડાં દિવસો પહેલા કંગનાએ નેશનલ એવોર્ડ માટે ફરજીયાત ડ્રગ ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી.
કંગનાએ ટ્વીટ કરતાં લખ્યું છે કે “હું રણવીર સિંહ, રણબીર કપૂર, આયાન મુખર્જી, વિકી કૌશલને વિનંતી કરું છે કે તેઓ ડ્રગ ટેસ્ટમાં તેમના બ્લડ સેમ્પલ આપે. એવી અફવા ચાલી રહી છે કે તેઓ કોકેઇનના બંધાણી છે.હું ઈચ્છું કે આ અફવાઓનું ખંડન થાય અને તેમના બ્લડ સેમ્પલ્સમાં તેમને ક્લીન ચીટ મળી જાય તો તેઓ દેશના લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બની જાય.”