નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે રાજયની તમામ યુનિવર્સિટીઓઍ કઈ કમિટીની રચના કરવી પડશે ?

નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે રાજયની તમામ યુનિવર્સિટીઓ “નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની” રચના કરે. નવી શિક્ષણ નીતિના ચેપ્ટર દીઠ તેનો અભ્યાસ કરવા અલગ અભ્યાસ કમિટીની પણ રચના કરવામાં આવે.-શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા

આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓનલાઈન બેઠક યોજીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તેના પરિણામલક્ષી અમલ માટે યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.આ બેઠકમાં શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેક યુનિવર્સિટી રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિના અમલ માટે નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરે આ ઉપરાંત દરેક યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિના જેટલા પણ ચેપ્ટર છે તે ચેપ્ટર દીઠ એક અભ્યાસ કમિટીની પણ રચના કરે. આ રીતે રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો ઝડપભેર અમલ થાય તે દિશામાં આગળ વધવા આયોજન કરે. શ્રી ચુડાસમાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણને પરિણામ લક્ષી બનાવવા ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવા પણ આ બેઠકમાં જણાવ્યું હતું

નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં હવે વિચાર નહીં પરંતુ અમલીકરણનો સમય છે ત્યારે આપણે સૌએ એ દિશામાં આગળ વધવુ પડશે, તેમ જણાવી શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ શિક્ષણ નીતિમાં માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણનો સમગ્રતયા વિચાર કર્યો છે. પ્રાથમિક શિક્ષણની સાથે ઉચ્ચતર શિક્ષણનો પણ વિચાર કરાયો છે ત્યારે આ શિક્ષણનીતિનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું
આયોજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *