સુરત જિલ્લામાં ગરીબ, ખેતમજુર, આદિવાસી અને દલિત જેવા તમામ પરિવારોના મુર્ત્યું બાદ અંતિમ સંસ્કાર કરવા બાબતે વર્ગ વિગ્રહ અને ઘર્ષણ ન થાય તે માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ની સંપૂર્ણ જવાબદારી વિશ્વ હિન્દૂ પરિષદ લેશે..
સુરત જિલ્લાના એના ગામના હળપતિ સમાજના મોહનકુમાર રાઠોડનું મોત નીપજ્યું હતું તેમની અંતિમ વિધિ કરવા સ્મશાનગૃહની ફી ભરવા પૂરતા પૈસા નોતા અને તે બાબતે સ્મશાનગૃહ ચલાવતા યુવક મંડળના સભ્યો સાથે ઘર્ષણ થયું હતું ત્યારબાદ મોહનકુમાર રાઠોડના પુત્ર અને પરીવારના અન્ય સભ્યો તેના પિતાના મૃતદેહનો મુખ્ય માર્ગ પર અંતિમ સંસ્કાર કરી દેતા ગામના સભ્યો વચ્ચે તણાવ સર્જાયો હતો.પુત્રએ સ્મશાનગૃહ ચલાવતા યુવક મંડળની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો ત્યારબાદ પોલીસે જાહેર સ્થળે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેનો ગુનો પણ નોંધ્યો હતો.આવા વર્ગ વિગ્રહ અને ઘર્ષણ ન થાય તે માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ની સંપૂર્ણ જવાબદારી હવે વિશ્વ હિન્દૂ પરિષદ લેશે.
આ અંગે દિનેશભાઇ નવાડીયાએ જણાવ્યું હતું કે એનાગામ જેવી ઘટના ફરીથી ના બને અને હિન્દૂ સમાજમાં એકતા બની રહે તે માટે ગરીબ, ખેતમજુર, આદિવાસી અને દલિત જેવા તમામ પરિવારોનો અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ વિશ્વ હિન્દૂ પરિષદ ઉપાડશે.હિન્દૂ મૃતદેહના અંતિમ સંસ્કારમાં ખર્ચ બાબતે કોઈ પણ આગવડતા ઉભી થાય તો તે લોકો સુરત વિશ્વ હિન્દૂ પરિષદ સુરત કાર્યાલયનો સંપર્ક કરી શકે છે.