દિશા સલિયાનના આત્મહત્યા કેસમાં કથિત રીતે સંડોવણી હોવા અંગે અને સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ જેના નામની ચર્ચા થઈ તે એક્ટર સુરજ પંચોલીએ ઈંસ્ટાગ્રામને રામ રામ કહી દીધા છે. સુરજે ઈન્સ્ટાગ્રામની પોતાની બધી પોસ્ટ ડિલીટ મારીને માત્ર એક જ પોસ્ટ જાળવી રાખી છે. જે ૨૮માં જન્મદિવસે ૨૦૧૮માં મૂકી હતી.
ઈંસ્ટાગ્રામને અલવિદા કહેતાં તેણે સ્ટોરીમાં લખ્યું છે , ” ફરી મળીશું ઈન્સ્ટાગ્રામ, મને આશા છે ત્યારે જ્યારે આ વિશ્વ એક શ્રેષ્ઠ જગા હશે. મારે શ્વાસ લેવો છે.”