મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણની પ્રદેશના લોકો માટે મોટી જાહેરાત, રાજ્યમાં સ્થાનિક લોકોને જ સરકારી નોકરી મળશે, અમે કાયદો બનાવી રહ્યાં છે. આ અંગે જાહેરાત કરતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શું જણાવ્યું ?
મધ્યપ્રદેશ સરકારના આ નિર્ણયને કારણે એક નવા વિવાદનો જન્મ થયો છે. મધ્યપ્રદેશના યુવાનો અન્ય રાજ્યોમાં જઈને સરકારી નોકરીઓમાં કામ કરી રહ્યા છે. જેમણે એક સામાજીક કુંઠાનો ભોગ બનવું પડી શકે છે. દરેક રાજય જો આવું વિચારતી થઈ જાય તો દરેક રાજય એક સાંસ્કૃતિક વાડામાં કેદ થઈ જશે અને પરિણામે સાંસ્કૃતિક આદાનપ્રદાન કે સામાજીક સમરસતાં ઘટવા પામશે.