જાણો બોલીવુડના ક્યા ખ્યાતનામ ડિરેકટરનું નિધન થયું જે માત્ર 50 વર્ષના હતાં. મદારી, દ્રશ્યમ,રોકી હેંડસમ, ફોર્સ જેવી ફિલ્મોના નિર્દેશક નિશિકાંત કામતનું માત્ર 50 વર્ષની વયે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ લિવરની બીમારીથી પીડીત હતાં. જાણીતાં ફિલ્મ વિશ્લેષક કોમલ નાહટાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જો કે બાદમાં રિતેશ દેશમુખે ખબર ખોટી હોવાનો દાવો કરી ટ્વીટ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો. સાંજે હૈદરાબાદની હોસ્પિટલે ઓફિશિયલ સ્ટેટમેંટ જાહેર કરીને નિશિકાંતના મૃત્યુની ખબરની પુષ્ટિ કરી હતી.
મરાઠી ફિલ્મ ડોંબિવલી ફાસ્ટથી પોતાનું ફિલ્મી કરિયર શરુ કરનાર નિશિકાંત કામતે આ જ ફિલ્મ માટે નેશનલ પુરસ્કાર પણ મેળવ્યો હતો. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. જેમાં ભાવેશ જોશી, રોકી હેંડ્સમ, ફુગે, ડેડી, જુલી -2 નો સમાવેશ થાય છે.