પરવટ ગામમાં માધવબાગ સોસાયટી, વૄદાંવન કોંપલેક્ષમાં ખાડીના પાણી ભરાયા. મનપાએ રેસ્ક્યુ કરી 250 લોકોને બહાર કાઢ્યા. તો લિંબાયતમાં કમરુનગર, ફૂલવાડી, ક્રાંતિનગર, નુરાનીનગર ખાતે ખાડીના પાણી ભરાતાં 750 લોકોને સલામત સ્થળે ખસેડ્યા. અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વ્હેંચવામાં આવ્યા.