શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલદાસજી બુધવારે જન્માષ્ટમી મનાવવા મથુરા ગયા હતા. ગુરુવારે સવારે તેમની તબિયત અચાનક બગડી હતી. જ્યાં શ્વાસ લેવામાં તકલીફ જણાતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતાં જ્યા કોરોના રિપોર્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પોઝિટીવ નિદાન થયો હતો. ઉત્તરપ્રદેશ CMOએ સ્વાસ્થય ટીમની સાથે પહોંચીને તેમની તપાસ કરી હતી અને તેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. 

આ દરિયાન યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલ દાસ, તેમના સમર્થકો અને મથુકાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી છે. સાથે સીએમ યોગીએ મેદાંતા હોસ્પિટલના ડૉકટર નરેશ ત્રેહાન સાથે વાત કરી છે અને મહંત નૃત્ય ગોપાલદાસને ગુરુગ્રામ સ્થિત મેદાંત હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *