સુરતના રામપુરા મેઈન રોડ પર રહેતા ડિમ્પલ જરીવાલા કાર્વિંગ આર્ટીસ્ટ છે. તેમણે જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરીને પીપળાના પાન પર કોતરણી કરી ભગવાન શ્રી ક્રિષ્નાના માનવ શરીરને આકાર આપ્યો છે. ખૂબ જ નવાઈ ની વાત એ છે કે, આ કોતરણી કામમાં કાર્વિંગ આર્ટીસ્ટ ડિમ્પલ જરીવાલાને માત્ર 10થી 12 મિનિટનો સમય લાગ્યો છે. 5 X 4.5 ઇંચ ના પાંદડા ઉપર આ કોતરણી કામ કરવામાં આવ્યું છે.