બોલીવુડના ખલનાયકની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ.

બોલીવુડ એક્ટર સંજય દત્તને અચાનક શ્વાસ લેવામાં તકલીફ જણાતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. અત્યારે હોસ્પિટલમાં તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામા આવ્યો છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જો સ્વાસ્થ્યમાં સુધારો રહેશે તો રવિવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

હાલમાં જ પોતાના જન્મદિવસે સંજય દત્તે KGF 2 નું પોસ્ટર રિલીઝ કર્યુ હતું.

અગાઉ બચ્ચન પરિવારના મોભી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અને ક્રમાનુસાર સહુ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર મેળવીને ઘરે પરત ફર્યા હતાં. 

તમને જણાવી દઈએ કે સંજય દત્ત ટૂંક સમયમાં સડક -2 ની સાથે સાથે ભુજ પ્રાઈડ ઓફ ઈંડિયા અને KGF 2 માં પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *