મેયર ડો. જગદીશભાઈ પટેલ અને સ્મીમેરના નોડલ ઓફિસરશ્રી પુનિત નૈયરના હસ્તે ઓક્સિજન ટેંક દર્દીઓની સેવા માટે કાર્યરત કરાઈ.સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક ૨૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકવામાં આવી છે. મેયરશ્રી ડો. જગદીશભાઈ પટેલ, નાયબ વનસંરક્ષક અને સ્મીમેરના નોડલ ઓફિસરશ્રી પુનિત નૈયરના હસ્તે આ ઓક્સિજન ટેંકનું દર્દીઓની સેવા માટે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૫૦૦૦ Nm3/hr કેપેસીટી ધરાવતું વેપોરાઇઝરનું પણ કાર્યરત કરવામાં આવ્યું છે. અગાઉ ઇન્સ્ટોલ કરાયેલી ૧૦ હજારની લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સાથે હવે સ્મીમેરમાં ૩૦ હજારની લીટર ઓક્સિજન ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાશે. આજથી કાર્યરત થયેલી ઓક્સિજન ટેંક આજથી દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે.