રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મળીને ૧,૧૫૮ કેસ નોંધાયા હતા.
સુરતમાં 248 કેસ, અમદાવાદમાં 177, વડોદરામાં 124,રાજકોટમાં 109 જામનગરમાં 100, ભાવનગરમાં 12 કેસ નોંધાયા હતા. તો ડાંગ-પોરબંદર-નર્મદામાં 1 માત્ર કેસ જ્યારે વલસાડમાં 2 કેસ નોંધાયા હતા. કુલ 10 લોકોના મૃત્યુ થયા હતા. સાથે જ ૧,૩૭૫ દર્દીઓ કોરોનાને મહાત આપી સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર સીત્યાસી પોઇન્ટ ઓગણએશીં ટકાએ પહોંચ્યો છે.