આપણા સહુની ફેવરિટ Parle – G બનાવતી કંપનીએ શું નિર્ણય કર્યો જેની બધા જ પ્રશંસા કરી રહ્યા છે ?

પારલે જી જે દેશની સૌથી વધુ બિસ્કિટ બનાવનારી કંપની છે તેણે TRP માં થયેલ ગેરરિતીને ધ્યાને રાખી હવે ન્યુઝ ચેનલો પર જાહેરાત ન આપવાનો નિર્ણય કર્યો છે જે ગેરમાર્ગે દોરનારી અને ઝેરીલી સામગ્રી પીરસે છે.. જેના કારણે સોશ્યલ મીડીયા પર તેની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે.

કંપનીના સીનિયર ઓફિસર કૃષ્ણરાવ બુધ્ધે માહિતી આપતાં કહ્યું કે સમાજમાં ઝેર ફેલાવનારી સામગ્રી દર્શાવતી ન્યુઝ ચેનલો પર અમે જાહેરાત નહિ આપીએ. એમણે કહ્યું કે અમે પ્રયત્ન કરી રહ્યાઅ છીએ કે તમામ જાહેરાત આપનારા એક મંચ પર ભેગાં થાય અને આવી ચેનલોને ઓછાંમાં ઓછી એડ આપે. જેથી આ ચેનલોને એક સંદેશ મળે કે એમણે પોતાની સામગ્રીમાં ફેરબદલ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *