રાજમાતા વિજ્યારાજે સિંધિયાની યાદમાં ભારત સરકારે એમના જન્મ શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ સમારંભમાં એમની સ્મૃતિમાં એક વિશેષ સ્મારક 100 રુપિયાના સિક્કાને વિમોચિત કર્યો હતો. શ્રીમતી વિજયા રાજે સિંધિયા ગ્વાલિયરની રાજમાતા તરીકે લોકોમાં જાણીતા છે. વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સ્મરણાર્થ પ્રસંગ માટે સિક્કો બહાર પાડવામાં આવ્યો. નાણા મંત્રાલયે જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ વિશેષ સ્મારક સિક્કાને તૈયાર કર્યો છે.