તા.૧૭મીએ સુરત રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન ભરતીમેળો યોજાશે: નોકરીવાંચ્છુંઓએ તા.૧૪મી સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું .

મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત દ્વારા તા.૧૭મી ઓકટો.એ ઓનલાઈન ભરતીમેળો યોજાશે. જેમાં સુરત જિલ્લાની અલગ-અલગ કુલ ૩૦થી વધુ કંપનીઓની ૧૯૦૦થી વધુ ખાલી જગ્યા માટે ઓનલાઈન ભરતી કરવામાં આવશે. લાયકાત મુજબ રસ ધરાવતા નોકરીવાંચ્છું ઉમેદવારોએ તા.૧૪મી સુધીમાં http://bit.ly/2rZc4Ii લિંક પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લેવું. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી કંપની દ્વારા ઈન્ટરવ્યું માટે ટેલિફોનીક સંપર્ક કરવામાં આવશે. ઓનલાઈન ભરતીમેળાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા મદદનીશ નિયામકશ્રી (રોજગાર) દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *