આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1311 કેસ નોંધાયા.

આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1311 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1414 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 86.35 ટકા થયો છે.

આજે રાજ્યમાં કુલ 51,385 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,26,657 દર્દીઓ સાજા થયા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,11,020 વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,485 છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર છે અને 16399 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 9 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3531 પર પહોંચી ગયો છે.આજે સુરત જિલ્લામાં નવા 280 કેસ, તો અમદાવાદ જિલ્લામાં નવા 188, તો રાજકોટમાં નવા 134 કેસ અને વડોદરામાં નવા 123 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *