શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને શાળાઓ શરૂ કરવા યોજાઇ બેઠક.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર જીસીઆઈઆરટી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષકોનાં પ્રશ્નો અને શાળા શરૂ કરવા માટેનાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળાની ગ્રાન્ટ કાપવા બાબતે, શિક્ષકની 5 વર્ષની નોકરી સળંગ કરાય તે બાબતે, બિન શૈક્ષણિક કર્મચારીની ભરતીનો પ્રશ્ન હલ થાય તે અંગે, કોવિડ દરમિયાન શાળાઓ શરૂ કરવી કે કેમ તે અંગે, તેમજ માર્ચ મહિના બાદ વર્ગ ઘટાડા બાબતે, ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શૈક્ષણિક સંઘના પ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. શિક્ષણ સંઘના પ્રમુખ જે. પી. પટેલે જણાવ્યું કે, અભ્યાસક્રમ ઘટાડવા મામલે ,હજુ બીજી બેઠક થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *