ગોવાના મુખ્યમંત્રીએ પોતે કોરોના સંક્રમિત થયા હોવના સમાચાર આપતાં જ સમાચાર માધ્યમોમાં આ સમાચારે જગા બનાવી હતી. લોક્સંપર્કમાં સતત રહેતાં નેતાઓ જ્યારે સંક્રમિત થાય છે ત્યારે એમના સંપર્કમાં આવનારા લોકો પણ સંક્રમણનો ભોગ બને છે.
રાજકોટના મેયર બીનાબેન આચાર્યનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ નિદાન થયો છે. એમના પતિ કોરોના સંક્રમિત થતાં મેયર બીનાબેન હોમ ક્વોરોંટાઈન થયા હતાં. હવે એમનો રિપોર્ટ પોઝિટીવ નિદાન થવા પામ્યો છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાના 78,357 નવા કેસ 24 કલાકમાં 1045 ના મૃત્યુ; કુલ 66,333 ના મોત દેશમાં કોરોનાના કુલ કેસ 37,69,523 24 કલાકમાં દેશભરમાં 62,026 દર્દી સાજા થયા કુલ 29,01,908 સ્વસ્થ, કુલ 8,01,282 સક્રિય કેસ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.