સુરતમાં ૧૧ વર્ષના અપહરણ થયેલ બાળકનો મૃતદેહ પૂર્વ પાડોશીના ઘરમાંથી મળી આવ્યો.

સુરતના પાંડેસરાના જીવનદિપનગર ખાતે રહેતાં 11 વર્ષીય અપહરણ કરાયેલ બાળકનું શંકાસ્પદ હાલતમાં પૂર્વ પાડોશીના ઘરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે રુમમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો તે રુમમાં રહેતાં બે યુવકોની પોલીસે અટક કરી પૂછપરછ આદરી છે. બાળકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું. આ સંદર્ભે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગઈકાલે બપોરના સમયે ગુમ થયેલા બાળક વિશે એના માતા પિતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બાળકના ગુમ થવાની ફરિયાદ દાખલ કરી હતી. પાંડેસરા જીવનદિપનગર ખાતે રહેતાં અને વોચમેનનું કામ કરતાં પિતાના ૧૧ વર્ષીય પુત્રની મૃત હાલતમાં લાશ મળતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

બાળક્નો મૃતદેહ જેમાંથી મળ્યો તે ઈમારત.

ત્રીજા ધોરણમાં ભણતાં બાળકની હત્યા કોણે કરી અને કેમ કરી એ પ્રશ્નો પોલીસને મૂંઝવી રહ્યા છે. પોલીસે આ દિશામાં તપાસ આરંભી છે. જો કે પોલીસે જો તાત્કાલિક પગલાં લીધા હોત તો પરિસ્થિતિ જુદી હોત કારણ કે બાળકના ઘરથી માંડ ૫૦૦ મીટરના અંતરે જ આવેલા મકાનમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. માતા-પિતાની ફરિયાદ બાદ જો પોલીસ હરકતમાં આવીને આસપાસના વિસ્તારોમાં તપાસ શરુ કરી હોત તો બાળકના મળી આવવાની શક્યતાં વધુ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *