ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તે સંદર્ભે ગુજરાત બોર્ડે મહત્વની જાહેરાત કરી છે. વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બોર્ડે બે વિષયમાં ગેર હાજર કે અનુત્તિર્ણ થયેલ વિધાર્થીઓને પૂરક પરીક્ષામાં બેસવાની તક આપી છે. જે વિધાર્થીઓએ પહેલા એક વિષય માટે ફોર્મ ભર્યા છે એમણે ફરી જે તે વિષય માટૅ ફોર્મ ભરવાનું રહેશે નહિ. અને આવેદન માત્ર ઓનલાઈન જ કરી શકાશે.