સુરત મનપાનો સપાટો.કેટલાક ડાયમંડ યુનિટો બંધ કરાવ્યાં અને ટૅક્સ્ટાઈલ માર્કેટની કેટલીક દુકાનો બંધ કરાવી.

કતારગામ ઝોનમાં આવેલ ભોજાની ડાયમંડ (નિતેશ ભોજાની) વ્રજ બિલ્ડિંગ અને ભીંગરાડીયા સુરેશ યુનિટ, મીરા બિલ્ડિંગમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન ન થતાં/ એક ઘંટી પર એકથી વધુ કારીગર બેસાડતાં તેમજ એંન્ટિજન ટેસ્ટ ન કરાવતાં જે તે યુનિટો SMC એ બંધ કરાવ્યા તેમજ શ્રી યમુના ડાયમંડ અને ભોજાની ડાયમંડ યુનિટને 7000 નો દંડ કરવામાં આવ્યો.

વરાછા ઝોનમાં આવેલ વી. નીતીન કમલા એસ્ટેટ યુનિટમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન ન થતાં/ એક ઘંટી પર એકથી વધુ કારીગર બેસાડતાં તેમજ એંન્ટિજન ટેસ્ટ ન કરાવતાં જે તે યુનિટને SMC એ બંધ કરાવ્યું. ટૅસ્ક્ટાઈલ માર્કેટમાં મનીષ માર્કેટની ચાર દુકાનો તો મનોજ માર્કેટની બે દુકાનો બંધ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *