કતારગામ ઝોનમાં આવેલ ભોજાની ડાયમંડ (નિતેશ ભોજાની) વ્રજ બિલ્ડિંગ અને ભીંગરાડીયા સુરેશ યુનિટ, મીરા બિલ્ડિંગમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન ન થતાં/ એક ઘંટી પર એકથી વધુ કારીગર બેસાડતાં તેમજ એંન્ટિજન ટેસ્ટ ન કરાવતાં જે તે યુનિટો SMC એ બંધ કરાવ્યા તેમજ શ્રી યમુના ડાયમંડ અને ભોજાની ડાયમંડ યુનિટને 7000 નો દંડ કરવામાં આવ્યો.
વરાછા ઝોનમાં આવેલ વી. નીતીન કમલા એસ્ટેટ યુનિટમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન ન થતાં/ એક ઘંટી પર એકથી વધુ કારીગર બેસાડતાં તેમજ એંન્ટિજન ટેસ્ટ ન કરાવતાં જે તે યુનિટને SMC એ બંધ કરાવ્યું. ટૅસ્ક્ટાઈલ માર્કેટમાં મનીષ માર્કેટની ચાર દુકાનો તો મનોજ માર્કેટની બે દુકાનો બંધ કરાવી હતી.