સાંસદ મનોજ તિવારીનો છબરડો. અમિત શાહની કોરોના રિપોર્ટ અંગે કર્યો ખોટો દાવો અને પછી શું થયું જાણો આ ખબરમાં.


અમિત શાહ કોરોના નેગેટિવ થઇ ગયા છે તે વાતને ગૃહમંત્રાલયએ રદિયો આપ્યો, જ્ણાવ્યું કે કોઈ ટેસ્ટ જ કરવામાં આવ્યો નથી. 
શાહ નેગેટિવ થયા હોવાનો દાવો કરનાર સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ પણ ડિલીટ કરી નાખ્યું. ઘણીવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતાં ભોજપુરી ગાયક મનોજ તિવારીએ હરખમાં આવીને આજે ગૃહ મંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાના સમાચાર વ્હેતાં કર્યા અને સમાચાર માધ્યમોએ એની નોંધ લઈ ખબર જનતા સુધી પંહોચતી કરી.

સાંસદ મનોજ તિવારીની એ ટ્વીટ જે બાદમાં એમણે ડિલીટ મારી.

પરંતુ જ્યારે ગૃહ મંત્રાલયે ગળું ખોંખારીને સ્પષ્ટતા કરી કે અમિત શાહનો કોઈ રિપોર્ટ કરવામાં જ નથી આવ્યો તો સાંસદ મનોજ તિવારીએ પોતાની ટ્વીટને ડિલીટ મારી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *