નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના ૭૩૬૦૪ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે નવા ૦૪ કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં કુલ ૧૨૮૫ પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ ૪૯ કેસ કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. ૧૧૩૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૦૦ વ્યકિતઓનું મૃત્યુ થયું છે. તેમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની યાદી જણાવે છે.