આજે વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે આણંદમાં ફિક્કી ફ્લો સાથે મળીને ગુજરાત ટુરિઝમ અને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ભારત સરકાર દ્વારા સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં ગ્રામીણ પ્રવાસ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.
આગામી સમયમાં લોકો ગ્રામ્ય વિસ્તારમાં ખેતી અને ત્યાંના સ્થાનિક ખાણીપીણી પદ્ધતિને જાણે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે લોકો અહીં રોકાઈ પણ શકશે. ખેતી અને ત્યાના સ્થાનિક ખાવા પીવાની પધ્ધતિથી વાકેફ થાય અને ત્યા રોકાય તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.ફિક્કી ફ્લોના ચેરપર્સન તરૂણા પટેલ દ્વારા આ સેમિનાર યોજાયો હતો. જે લોકો અનાજ ઉત્પન્ન કરે છે તેમની સાથે રહીને ગ્રામીણ પ્રવાસ વધે તે માટે વિકાસ કરવામાં આવશે. આના કારણે સ્થાનિકો, ખેડૂતો અને મહિલાઓને પણ રોજગારી મળશે.