અશાંતધારા હેઠળની અરજીઓનો ઓનલાઈન પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ.

જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના હસ્તે જિલ્લા સેવા સદન ખાતેથી શહેરમાં અશાંતધારા હેઠળ મિલકતોના વેચાણ વ્યવહારો કરનારા મિલકતદારોને વેચાણ અંગેના તબદીલી હુકમો સમયસર મળી રહે તેવા આશયથી ઓનલાઈન અરજીનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અશાંતધારા હેઠળ આવતી મિલકતદારોને ખરીદ-વેચાણના હુકમો અરજદારોને સમયસર મળી રહે તે માટે ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. કોઈ પણ અરજદારો ઘરે બેઠા અરજી કરીને અરજીનું સ્ટેટસ જાણી શકશે.
સુરત શહેરમાં લિંબાયત, રાંદેર અને વોર્ડ નં.૧ થી ૧૨ તથા કતારગામ વિસ્તારના ટુંકી ગામના અંદાજીત પાંચ લાખથી વધુ મિલકતદારો હવે આંગળીના ટેરવે ઘર બેઠા ઓનલાઈન અરજી કરીને અશાંતધારાના હુકમો મેળવી શકશે. અરજદારોએ www.i-ats.com ઉપર જઈ ઓનલાઈન અરજી કરી ત્રણ થી પાંચ દિવસમાં ઓરીજનલ એફીડેવીટ તથા પુરાવા કચેરીની રજીસ્ટ્રી બ્રાંચમાં જમા કરવાના રહેશે. અરજદારો જરૂરી પરવાનગીની નકલ અથવા પુર્તતા રજુ કરવા જણાવેલી વિગતો ઘરબેઠા જોઈ પૂર્તતા કરી શકશે. તા.૧૭/૧૦/૨૦૨૦ના રોજ સાંજે ૬.૧૦ સુધી જ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે. તા.૧૯મી ઓકટોમ્બરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીના નિકાલની ઓનલાઈન કામગીરી સાતથી પંદર દિવસ સુધીમાં કરવામાં આવશે. અલગ-અલગ ધર્મના કિસ્સામાં સંબધિત કચેરીઓના અભિપ્રાય ઓનલાઈન મંગાવવામાં આવશે. અરજીની પૂર્તતા માટે સંબધિત મામલતદાર તથા પોલીસ કમિશનર, સબ રજીસ્ટ્રાર, સીટી સર્વે વિભાગ દ્વારા પણ ઓનલાઈન અરજીનો અભિપ્રાય આપશે જેથી અરજીનો ઝડપથી નિકાલ થશે. નોંધનીય છે કે, હાલ રોજની ૩૦ થી ૩૫ અરજીઓ ઓફલાઈન આવી રહી છે.
અશાંતધારા હેઠળ અરજી કરવા માટેની કાર્ય પધ્ધતિ
 નવી અરજી કરવા માટે સૌપ્રથમ I-ATS પોર્ટલ (http://i-ats.com/) પર જાઓ.
 I-ATS પોર્ટલના મુખ્ય પેજ પર આવેલ મેનુમાં “નવી અરજી” પર Click કરો.
 મિલકત તબદીલી કોની વચ્ચે છે? નવી અરજીનો પ્રકાર, જીલ્લા,તાલુકા અને ગામનું નામ પસંદ કરો.
 જે જીલ્લા, તાલુકા અને ગામના સરવે નંબરમાં અરજી કરવાની હોય તે જીલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો
 અરજદારનો મોબાઇલ નાંબર અને ઇ-મેલ દાખલ કરો.
 “Generate OTP” પર Click કરો. OTP જનરેટ કરવાથી અરજદારે દાખલ કરેલ ઈ-મેલ પર વેરીફિકે કોડ મળશે.
 જનરેટ થયેલ OTP ઇ-મેલ માંથી મેળવી “submit” બટન પર Click કરો.
 મોબાઇલ નંબર અને ઇ-મેલ પર મળેલ વેરીફિકેર્ન કોડ દર્શાવેલ ટેકસ્ટબોક્ષમાં દાખલ કરી “Submit” પર Click કરો.
 અરજીને લગતી તમામ વિગતો ચોકસાઇ પૂર્વક દાખલ કરો.
નોંધ:- આ તમામ વિગતો ગુજરાતીમાં દાખલ કરવી હિતાવહ છે.
 “ડૉક્યુમેન્ટ અપલોડ કરવા” ના ઓપ્શનમાં જઇને સોગંદનામું અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરો.
અ) લાલ રંગમાં દર્શાવેલ (*) એટલે કે ફરજીયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
 અરજીને લગતી તમામ વિગતો દાખલ કર્યા બાદ “Submit Button” પર Click કરો.
 અરજી Submit થયા બાદ રજીસ્ટર્ડ કરેલ ઈ-મેઈલ ID પર અપ્લિકેશન ID જનરેટ થશે.
 અરજીની સ્થિતી અને અરજીની વિગતો જોવા માટે I-ATS પોર્ટલના મુખ્ય પેજ પર આવેલ મેનુમાં “દાખલ કરેલ અરજી” પર Click કરી રજીસ્ટર્ડ ઈ-મેઈલ ID પર મળેલ અરજી નંબર તથા મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ ID એન્ટર કરી વિગત મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *