અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા માટે તંત્રને નોંધપાત્ર સફળતા મળી છે. ત્યારે હવે અમદવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને વધુ સતર્ક થઇ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં અમદવાદ શહેરમાં આવેલી દરેક સોસાયટી દીઠ એક-એક કો-ઓર્ડિનેટરની નિમણુંક કરવામાં આવશે.
આ કો-ઓર્ડિનેટર તેમની સોસાયટીમાં કોરોના અંગેની વિગતો સ્થાનિક તંત્રને આપશે. તેમજ સોસાયટી અને એએમસી વચ્ચે મહત્વની કડી બની રહેશે. જ્યારે અન્ય નિર્ણયમાં એએમસીએ જમાલપુર એપીએમસી માર્કેટને કેટલીક શરતો સાથે શરૂ કરવાની પરવાનગી આપી છે.