IPL ની વર્તમાન સીઝન પડતી મૂકી ભારત પરત ફરનારા રૈનાએ સાચું કારણ જણાવ્યું.

IPL માંથી ભારત પરત ફરેલા સુરેશ રૈનાએ ઘણી બધી અટકળો વચ્ચે આજે પંજાબ પોલીસને ટ્વિટ કરીને અપીલ કરી છે કે
” મારા પરિવાર સાથે પંજાબમાં જે કંઇ પણ થયુ તે ખૂબ ભયાનક હતું. મારા અંકલની હત્યા થઈ, મારા ફઇબા અને મારા બન્ને કઝીનને ગંભીર ઇજાઓ થઇ હતી અને દુર્ભાગ્યવશ મારા કઝીન ભાઇનું પણ મૃત્યુ થયુ છે. મારા ફોઈની હાલત પણ ગંભીર છે અને લાઈફ સપોર્ટ પર છે. “

રેનાએ કહ્યું કે હજૂ સુધી મને ખબર નથી પડી કે તે રાત્રે શું થયુ હતું, હું પંજાબ પોલિસને અપીલ કરુ છુ કે આ કેસને તપાસવામાં આવે. અમે તે જાણવાનો હક તો રાખીએ છીએ કે આ કામ કોણે કર્યું. અપરાધીઓને વધુ અપરાધ માટે ખુલા ન છોડવા જોઇએ. જો કે રૈના ટ્વીટ બાદ પંજાબ પોલીસ હરકતમાં આવી હતી અને ઠેકઠેકાણે દરોડા પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *