ભારતમાં એક જ દિવસમાં 61,408 નવા કોરોના કેસો નોંધાયા.

દેશમાં 24 કલાકમાં કોરોનાના 61,408 નવા કેસ,836 ના મોત; 57,469 દર્દી સાજા થયા.
દેશમાં આજ સુધીમાં કુલ 31,06,348 કેસ નોંધાયા, જેમાંથી હાલમાં 7,10,771 દર્દીઓ સારવાર હેઠળ અને કુલ 57,542 દર્દીઓના મોત,તો 23,38,035 દર્દીઓ સારવાર મેળવીને ઘરે પરત ફર્યા.દેશમાં 24 કલાકમાં 6, 09, 917 ટેસ્ટ કરાયા.અત્યાર સુધી 3, 59, 02, 137 ટેસ્ટ કરાયા.

ભારતમાં નોંધાયેલ નવા કેસોમાં સૌથી વધુ નવા કેસો નોંધાવનારા રાજ્યોમાં મહારાષ્ટ્રમાંથી 10,441, ત્યારબાદ આંધ્રપ્રદેશમાંથી 7895,તમિલનાડુ 5975, ઉત્તરપ્રદેશ 5328, પશ્ચિમ બંગાળ 3724, ઓડિશામાં 2993, બિહારમાં 2418 સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે ગુજરાતમાંથી 1101 નવા કેસો નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *