સુશાંત સિંહ કેસમાં CBI એ રિયા ચક્રવર્તી, ઇંદ્રજીત ચક્રવર્તી,સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા અને સૃતિ મોદી અને અન્યો સામે FIR નોંધી. બિહાર સરકારની ભલામણને સ્વીકારી કેંદ્ર સરકારે સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત આજરોજ CBI હરકતમાં આવ્યું હતું. અને FIR નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમ(SIT)માં ગુજરાત કેડરના બે IPS અધિકારીઓ, મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે.