અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમણે ટ્વીટ કરીને લોકોને જાણ કરી હતી. ગૃહ પ્રધાન અમિત શાહ બે ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારથી તેઓ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે.
અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું હતું કે ” આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું અને આ સમયે જે લોકોએ મારા સારા સ્વસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી તેમજ મને અને મારા પરિવારને દિલાસો આપ્યો તે સૌનો હું આભાર વ્યક્ત કરું છું. ડોક્ટરોની સલાહ પર હજુ થોડા દિવસ હોમ આઇસોલેશનમાં રહીશ.”