ફિલ્મ સ્ટાર સંજય દત્તે ફિલ્મોમાંથી બ્રેક લેવાની કરી જાહેરાત, મેડિકલ ટ્રીટમેન્ટનું ગણાવ્યું કારણ. હાલમાં જ સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પોતાની પોસ્ટમાં સંજય દત્તે લખ્યું કે, ‘હાય મિત્રો, હું કેટલીટ મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે, અને હું મારા તમામ શુભેચ્છકોને વિનંતી કરું છું કે તેઓ જરાય ચિંતા ન કરે અને બિનજરૂરી ચિંતા કે અફવાઓ પર ધ્યાન ન આપે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું જલ્દીથી પાછો ફરીશ. ‘