બબીતાને પણ ટક્કર મારે એવી અભિનેત્રી જોવા મળશે તારક મહેતા કા ઉલ્ટાં ચશ્માંમા. પણ તોયે લોકો નિરાશ. જાણો કેમ ?

તારક મેહતાની અંજલિ એટલે કે નેહા મેહતાનું સ્થાન સુનૈના ફોજદાર લેશે. તેણે રવિવારથી જ શોનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. 12 વર્ષથી અંજલિનાં રૂપમાં દર્શકોનાં દિલમાં નેહા સમાઇ ગઇ છે. હવે અચાનક શો છોડતા તેનાં ફેન્સ નારાજ છે. મેકર્સ દ્વારા પણ નેહાએ શો કેમ છોડ્યો તે અંગે કોઇ જ નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે અહેવાલો પ્રમાણે સેટ પર સતત અપમાનિત થવાને કારણે તેમજ નેહા મહેતા રડમસ થઈ જાય એ હદે સતત અવહેલના થવાને કારણે નેહાએ આ શો છોડવાનું મુનાસિબ માન્યું છે.

સુનૈના આ પહેલાં લેફ્ટ રાઇટ લેફ્ટ અને બેલન વાલી બહૂ જેવાં ટીવી શોમાં કામ કરી ચૂકી છે. હવે તે અંજલિનાં પાત્રમાં કેટલી ફિટ બેસે છે તે જોવાનું રહેશે. જો કે તારક મહેતા સિરીયલની તાસીર રહી છે કે જ્યારે પણ પાત્રો બદલાયા છે તો લોકો જે તે નવા એક્ટર કે એકટ્રેસ સાથે એડજસ્ટ નથી થઈ શકતાં.

View this post on Instagram

❤ @tmkocinsta

A post shared by Neha Mehta (@nehamehtaofficial) on

નેહા મહેતાએ શો છોડતાં હવે એની જગા પર કોને સાઈન કરાઈ ?

જ્યારે સોઢીએ શો છોડ્યો હતો ત્યારે નવા સોઢીમાં લોકોને એ ચાર્મ ન અનુભવાતાં સરદાર રોશન સિંઘ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ને પરત લેવાયા હતાં જો કે એમણે પણ શો ને અલવિદા કહી દિધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *