ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એમ્સમાં દાખલ થયા.

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એમ્સમાં દાખલ થયા છે. છાતીમાં ઈન્ફેક્શન હોવાના કારણે તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરાયા. રાહતની વાત એ છે કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી. AIIMS વડે પ્રેસ રિલીઝ આપીને તેમના સ્વાસ્થય અંગે માહિતી આપવામાં આવી હતી. ડો. રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે.

4 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી જાતે જ ટ્વિટર પર આપી હતી. ત્યારપછી તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને હોમ આઈસોલેશન રહેવાની સલાહ આપવામાં આવી હતી. ગઈ કાલે રાતે તેમને સામાન્ય તાવ આવ્યો હતો અને ત્યારપછી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *