કોરોના મહામારી (કોવિડ-૧૯) ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી પગલાંઓ લેવામાં આવી રહયાં છે. જે અનુસંધાને જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના ૧૦૨૩૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજરોજ નવા ૦૯ કેસ પોઝીટીવ આવેલ છે.
જિલ્લામાં આજદિન સુધી કુલ ૬૭૬ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેમાંથી કુલ-૫૧૯ દર્દીઓને રજા આપવામાં આવી છે. આજદિન સુધીમાં ૬૭ દર્દીઓના મોત થયા છે. આજની સ્થિતિઍ કોરોનાના ૯૦ ઍક્ટીવ કેસ છે.