ગુજરાત જાહેર બાંધકામ કરાર સંબંધી વિવાદ-લવાદ ટ્રિબ્યુનલની યાદીમાં જણાવ્યા અનુસાર, તા. ૧૦ મે-૨૦૨૧થી તા.૦૫ જૂન-૨૦૨૧ (બંને દિવસો સહિત) સુધી ઉનાળુ વેકેશનના અનુસંધાને ટ્રિબ્યુનલ દ્વારા કેસોની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. આ સમયગળા દરમિયાન કામકાજના ચાલુ દિવસોએ ટ્રિબ્યુનલ કચેરી સવારે ૧૦-00થી બપોરે ૨-00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.